જામીન નાદાર થાય કે મરણ પામે અથવા મુચરકો જપ્ત થાય ત્યારે અનુસરવાની કાયૅરીતિ - કલમ:૪૪૭

જામીન નાદાર થાય કે મરણ પામે અથવા મુચરકો જપ્ત થાય ત્યારે અનુસરવાની કાયૅરીતિ

જયારે આ અધિનિયમ હેઠળના કોઇ મુચરકાનો જામીન નાદાર થાય કે મરણ પામે અથવા કલમ ૪૪૬ની જોગવાઇઓ મુજબ કોઇ મુચરકો જપ્ત થાય તો જેના હુકમથી તે મુચરકો લેવામાં આવેલ હોય તે તેને મુળ હુકમના આદેશ અનુસાર નવી જામીનગીરી આપવાનો હુકમ કરી શકશે અને એવી જામીનગીરી આપવામાં ન આવે તો તે મુળ હુકમનુ પાલન કરવામાં કસુર થયેલી હોવાનુ ગણી કાયૅવાહી કરી શકશે